ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને આજે સવારથી વિશ્વના મીડિયાની અને દિગ્ગ્જ નેતાઓની નજર ગુજરાતના પરિણામો પર હતી ત્યારે આજે ફરીએક વાર આજે ગુજરાતમાં ભગવા લહેર જોવા મળી હતી.
ગુજરાતના વિવિધ સ્થળો પર યોજાયેલ મત ગણતરી યોજવામાં આવી હતી તેમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓએ હારનો સામનો કર્યો હતો અને કેટલાક નવા ચહેરો ચૂંટાઈ આવ્યા હતા. જોકે આ તમામ બાબતોથી પર રહીને અંતે તો ભાજપે પોતાની સરકાર બનાવવા પર મહોર મરાવી હતી.
ગુજરાતના મુખ્ય પ્રધાન તેમના મત વિસ્તાર રાજકોટથી કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુને હરાવીને રાજકોટ પૂર્વની બેઠક પોતાના કબ્જામાં લીધી હતી.ત્યારે આ તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તેજશ્રી બેન પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સાથે જ ગુજરાતના દિગ્ગ્જ નેતાઓ શંકર ચૌધરી ભૂષણ ભટ્ટ મહેન્દ્ર મશરૂ સિદ્ધાર્થ પટેલ અર્જુન મોઢવાડીયા ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ તુષાર ચૌધરી જયનારાયણ વ્યાસ ચીમન સાપરીયા જયંત બૉશ્કી જેવા ભાજપ અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતા હાર્યા હતા.
અત્રે જણાવી દઈએ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત અનેક ભાજપ-કોંગી નેતાઓએ ગુજરાતમાં સભાઓ યોજી હતી. અને જનમત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અંતે ભાજપે બાજી મારી લીધી હતી. અને પાંખી સરસાઈથી બહુમતી મેળવી હતી.