નોટબંધીને એક વર્ષ પુરૂ થવાને લઇને ભાજપ અને અને વિપક્ષ વચ્ચે અંદરો-અંદર વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ તરફથી આ મોરચો પુર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહને સોંપવામાં આવી છે. મનમોહન સિંહે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જો કે આ ઘટનાને લઇને ભાજપે તાજેતરમાં એક VIDEO કેંપેન શરૂ કર્યુ છે જેનુ નામ આપવામાં આવ્યુ છે કે " પોલ ખોલ દો ".
ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ કેંપેંનના આ વિડીયોમાં એક ભ્રષ્ટનેતા નોટબંધીનેના ફેંસલા પછી ભારતમના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયની નીંદા કરી રહ્યા હોય તેવુ દર્શાવવામાં આવ્યુ છે. આગળ એવુ પણ દર્શાવવામા આવ્યુ છે કે પીએમ મોદી ફરીથી ચા વહેંચવાનો ધંધો શરૂ કરે. અને એકવાર પોતાને સત્તામાં આવવા દે પછી ખબર પડે કે દેશભક્તિ શું છે એવા સંવાદો આ વિડીયો સંદેશમાં દર્શાવવામાં આવ્યા હતા.
અત્રે જણાવી દઇએ કે 8 નવેમ્બર ના દિવસે નોટબંધીને 1 વર્ષ થઇ રહ્યુ છે ત્યારે વિપક્ષ સમગ્ર દેશમાં કાળાધન દિવસ તરીકે મનાવવા જઇ રહ્યુ છે અને સરકારનો આ નિર્ણય ખોટો હતો તેવુ પ્રજાને જણાવશે ત્યારે ભાજપ સરકાર દ્વારા એંટી બ્લેક મની દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી છે અને આ એક વિડીયો કેંપેંન શરૂ કરાયુ છે.