અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી ભાજપ માટે પડકારરૂપ બની છે. કોંગ્રેસ પણ સત્તા મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. જેમાં હાર્દિક પટેલનું અનામત આંદોલન મુખ્ય છે. સાથે જ કોંગ્રેસ પણ ભરપૂર જોરથી ચૂંટણી લડી રહી છે. તેવામાં સત્તા વિરોધી લહેરથી બચવા માટે નવો પ્લાન બનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં ભાજપા માટે પરિસ્થિતિઓ અલગ છે. એક તરફ સત્તાધારી પાર્ટીને લઇ ઉભરી રહેલો ગુસ્સો ઠાલવવામાં કોંગ્રેસ મંડાઇ છે. વિકાસને લઇ કરવામાં આવેલ કટાક્ષ 'વિકાસ ગાંડો થયો છે' સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો.
ત્યારે બીજી તરફ ગુજરાતના પાટીદારોમાં ભાજપનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. પાટીદાર વિસ્તારોમાં 'કલમ 144' લગાવી દેવામાં આવી છે એટલે કે 'ભાજપવાળાને અહીં વોટ માંગવા માટે ન આવવું.'ના બેનરો લગાવી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ પ્લાન હેઠળ ભાજપે બે વખતથી વધુ સત્તા પર રહેલા વિધાયકો ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. આ ફોર્મૂલા પાર્ટી દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં અપનાવી ચૂકી છે. જ્યાં પાર્ટીને એમસીટીના ત્રણ ઝોનમાં મોટી જીત મેળવવાની હતી.
જો કે આ ફોર્મૂલામાં ગુજરાતના તે યુવા ધારાસભ્યોને છૂટ મળી શકે છે જેમણે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. હવે આ જોવાનું રહ્યું કે કોનું પલ્લું ભારે રહેશે.