અમદાવાદઃ ભાજપે ચૂંટણી માટે કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદમાં ભાજપના નિરીક્ષકો આજે બીજા દિવસે પણ દાવેદારોના સેન્સ લેશે. સવારે 11 વાગ્યે રિવરફ્રંટ હોલમાં દાવેદારોના સેન્સ લેવાશે. મનસુખ માંડવીયા રાજેન્દ્ર ત્રિવેદી દર્શના જરદોશ દાવેદારના સેન્સ લેવાના પ્રકીયા હાથ ધરાશે.
બીજી તરફ વાસણા APMCમાં આઇ કે જાડેજા ઉપસ્થિત રહેશે. આશિષ દવે જયશ્રીબેન પટેલ સેન્સ લેશે. સાણંદ ધંધુકા ધોળકાની વિધાનસભા સીટ માટે સેન્સ લેવાશે. વિરમગામ અને દસક્રોઇ બેઠકોના દાવેદારોને પણ મળશે. પર્યાવરણ મંદિરમાં ભાર્ગ ભટ્ટ સેન્સ લેવાની કામગીરી કરશે. ભરતસિંહ પરમાર દર્શીનીબેન ઉપસ્થિત રહેશે.