ગુજરાતમાં ચૂંટણી પહેલાં ગાંધીનગર નજીક ભાટ ગામે ગૌરવયાત્રાના સમાપન પ્રસંગે અને પેજ પ્રમુખોના સન્માન સમારંભ નિમિત્તે ભાજપનું વિશાળ સંમેલન યોજાયું હતું. આ સંમેલને સંબોધન માટે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો કરતા અમિત શાહે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને ગુજરાતના વિકાસનો હિસાબ માંગવાનો અધિકાર નથી કેમકે આઝાદીના સિત્તેર વર્ષ બાદ પણ અમેઠીનો વિકાસ થયો નથી. જ્યારે ભાજપાએ ગુજરાતમાં ગામેગામ નર્મદાના નીર પહોંચાડયા છે. વિકાસની મજાક ઉડાવશો તો ગુજરાતની જનતા માફ નહી કરે.
અમિત શાહે નર્મદાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નર્મદાનું ખાત મુહૂર્ત કોંગ્રેસે કર્યું હતું પરંતુ કોંગ્રેસના રાજમાં નર્મદાનો વિકાસ રૂંધી નાખવામાં આવ્યો હતો. કોંગ્રેસીઓ માત્ર ચૂંટણી વખતે જ દેખાય છે. મત ગણતરી શરૂ થાય તે પહેલાં જ છૂમંતર થઈ જાય છે ત્યાર બાદ પાંચ વર્ષે દેખાય છે. અમિત શાહે પોતાના સંબોધનમાં ભાજપ સંગઠનના ભરપૂર વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપા જેવું સંગઠન ભારતભરમાં કયાંય નથી.
કોંગ્રેસ પર અમિત શાહે કર્યા પ્રહાર
ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસના નેતાઓ દેખાય છે: અમિત શાહ
આ વખતે કોંગ્રેસને મૂળ સહિત ઉખેડી ફેંકીશુ: અમિત શાહ
5 વર્ષ સુધી કોંગ્રેસ દેખાતી નથી: અમિત શાહ
ભાજપ જેવુ સંગઠન ક્યાં નથી: અમિત શાહ
કોંગ્રેસ ચૂંટણી આવે ત્યારે દેખાય છે: શાહ
ચૂંટણી પરિણામ વખતે 12 વાગ્યે કોંગ્રેસ દેખાતી નથી: શાહ
રાહુલ ગાંધી અમેઠીને બદલે ગુજરાતમાં આવે છે: શાહ
રાહુલ ગાંધી અમેઠીમાં કોઇ વિકાસ નથી કર્યો: અમિત શાહ
રાહુલ ગાંધીએ અમેઠીમાં કલેક્ટર ઓફિસ પણ નથી બનાવી: શાહ