ગુજરાતની બે વ્યક્તિ દેશભરમાં ઘૂમ મચાવી રહી છે. એક છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજા છે ભાજપ અધ્યક્ષ અમિત શાહ. બંને માટે જાત જાતની સ્ટોરી અને કિસ્સા માર્કેટમાં ચાલે છે. એ 4 થી 5 કલાક સૂવે છે. સતત કામ કરે છે. રજા પણ લેતા નથી. આ બધું કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નહીં. પીએમ નરેન્દ્ર મોદી પર ખૂબ વાત થઇ કે એ યોગ કરે છે અને ખાવામાં ખિચડી પસંદ છે. પરંતુ હાલમાં ટ્રેન્ડમાં છે અમિત શાહ. દરેક બાજુ ચર્ચા છે કે એમને એક વર્ષમાં 20 કિલો વજન ઓછું કર્યું છે. એ પણ કોઇ સર્જરી વગર. એકદમ દેસી ઉપાયોથી. તમારે પણ આ ઉપાયો માટે જાણવું જોઇએ.
પહેલું કામ છે ચાલવા ફરવાનું. રોજ સવારે ઊઠીને શાહ મોર્નિંગ વોક પર જાય છે. જે લોકો જાય છે એ લોકો એનો ફાયદો સમજી જશે. અને જે લોકો નથી જતાં એ લોકો જઇને દેખજો. કોઇ નુકસાન નહીં થાય.
બ્રેકફાસ્ટના રોલ માટે મોટાભાગે ડાયટીશિયન કહેતા રહે છે. તેઓ બ્રેકફાસ્ટ સ્કીપ ના થાય એનું ધ્યાન રાખે છે.
શાહ ખાંડ નો ઉપયોગ તો કરતાં જ નથી. એટલે કે અમિત શાહ ખાંડને કોંગ્રેસ સમજે છે.
ડિનરની વાત કરીએ ધરતી પાતાળ એક થઇ જાય શાહ 7:30 પહેલા જ ડિનર કરી લે છે. એમનું માનવું છે કે મોડી રાતે ખાવાનું ખાવાથી વજન વધે છે. જ્યારે પણ તેઓ ચૂંટણી કેમ્પેનમ માટે જાય છે તો ખાવાનું ગાડીમાં લઇને જ જાય છે અને સાંજે 7:30 પહેલા ખાવાનું ખઇને પ્રચાર માટે જાય છે.
એક રિપોર્ટ અનુસાર અમિત શાહ રોજ સવારે પતંજલિનો આમળાનો જ્યુસ પીવે છ અને એનાથી જોરદાર ફાયદો થાય છે. અને આમળા તો એમ પણ પેટ માટે ફાયદામંદ છે.
21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે બાબાએ દુનિયાને જણાવ્યું હતું કે અમિત શાહનું વજન ખૂબ જ ઘટી ગયું છે. એમના બતાવેલા ઘણા યોગ ક્રિયાઓથી શાહની કાયા બદલાઇ રહી છે.
જો કે અમિત શાહનો આ ફેરફાર જરૂર હતો કારણ કે કાર્યકર્તાઓનો મોટાભાગે સભાઓ અને મીટિંગ્સમાં સ્વસ્થ રહેવાની અપીલ કરે છે.