અમદાવાદ: ગુજરાત ચૂંટણીને લઇને એક્ઝિટ પોલમાં જીતની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ભાજપે શપથ ગ્રહણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં પાર્ટીએ શનિવારે બેઠક કરીને ચૂંટણી પરિણામોની સમીક્ષા કરી.
ભાજપે આ ચૂંટણીમાં 120 અથવા એનાથી વધારે સીટ મળી છે તે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ થશે. શક્ય છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરે આ સમારોહ હશે. વિધાનસભા ચૂંટણીમાં જીતને લઇને ભાજપ ઘણી હદ સુધી સહમત છે.
વિવિધ ચેનલોના એક્ઝિટ પોલમાં પાર્ટીને 107 થી 135 સીટ સુધી સભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. એનાથી ભાજપની આશાઓને બળ મળે છે. જો કે કોંગ્રેસ પણ 120 સીટ જીતવાના દાવાની સાથે ગાંધીનગર સુધી પહોંચવાની વાત કરી રહી છે.
ભાજપ 120 અથવા વધારે સીટ જીતીને સત્તામાં આવે છે તો અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. જો ભાદપ 110 અથવા એનાથી ઓછી સીટ આવે છે તો ગાંધીનગર સચિવાલય અથવા મહાત્મા મંદિરમાં જ શપથ ગ્રહણ કાર્યક્રમ કરવામાં આવી શકે છે. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને વિશેષ રૂપથી આમંત્રિત કરવામાં આવશે.