અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બન્ને પક્ષના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યો છે. પાત્રાએ જણાવ્યું કે કોંગ્રેસ દેશમાં અરાજકતા ફેલાગે છે. રાહુલ ગાંધી ખોટુ બોલીવને લોકોને ગેરમાર્ગે દોરે છે.
રાહુલ ગાંધી સ્પર્શ કરે તે વસ્તુ દેખાતી નથી. રાહુલ અમિત શાહના સવાલોનો જવાબ આપી શકતા નથી. સાથે તેમણે જણાવ્યું કે 2017ની ચૂંટણી સકારાત્મક અને નકારાત્મક વચ્ચેની છે. એક બાજુ વિકાસ છે અને બીજી બાજુ જાતિવાદ છે. પરંતુ વિકાસનો વિજય ચોક્કસ થશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓ ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પણ ગુજરાતના પ્રવાસે છે. સંબિત પાત્રાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે કોંગ્રસ દેશમાં અરાજકતા ફેલાવે છે અને રાહુલ ગાંધી ખોટું બોલીને લોકોને ગેરમાર્ગે દોરે છે.