નવી દિલ્હીઃ દિલ્હીમાં ભાજપની કાર્યકારિણી બેઠકનો આજે બીજો દિવસ છે. બે દિવસીય આ બેઠકમાં ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત છે. આજે પીએમ મોદી અમિત શાહ એલ કે અડવાણી રાજનાથ સિંહ અને અરૂણ જેટલી સહિતના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત છે.
બેઠકની શરૂઆતમાં પીએમ મોદી અને અમિત શાહ સહિતના નેતાઓએ પંડિત દીનદયાલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી અને અમિત શાહ બેઠકને સંબોધવાના છે. પૂર્વ સીએમ આનંદીબેન પટેલ અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. સીએમ વિજય રૂપાણી અમિત શાહ સાથે બેઠક કરે તેવી પણ શક્યતાઓ છે.