કચ્છ: સમગ્ર કચ્છમાં ચૂંટણી પ્રચાર -પ્રસાર તેજ બન્યું છે ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા એ કેરા ખાતે અંજાર બેઠક ના ઉમેદવાર વાસણ આહીર દ્વારા યોજાયેલી જાહેરસભાને સંબોધી હતી.
ઉલ્લેખનીય છે કે રોજ કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા એ કચ્છમાં સભાઓ ગજવી હતી.ભાજપના અંજાર બેઠક ના ઉમેદવાર વાસણભાઇ આહીર દ્વારા કેરા ખાતે યોજાયેલ જાહેરસભમાં પૂરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
આ સાથે તેમણે જણાવ્યું કે કોંગ્રેસ ને ગુજરાતનો વિકાસ દેખાતો જ નથી.કોંગ્રેસ ઝેરીલો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યું છે.
સાથો-સાથ તેમણે અંજાર બેઠકના મતદારોને અપીલ કરી હતી કે વાસણભાઈ આહીરને વધુ ને વધુ મત આપી વિજયી બનાવજો. સપષ્ટ અને ધારદાર વક્તા પુરષોતમ રૂપાલાની જાહેરસભમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પુરષોતમ રૂપાલા એ કચ્છમાં સભાઓ ગજવી
વાસણભાઇ આહીર દ્વારા કેરા ખાતે સભાનુ કરાયું આયોજન
ભાજપના અંજાર બેઠક ના ઉમેદવાર છે વાસણ આહિર
કોંગ્રેસ ને ગુજરાતનો વિકાસ દેખાતો જ નથી- પુરસોત્તમ રૂપાલા