અમદાવાદ: ભાજપ અને કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ આજે અમદાવાદમાં પ્રચાર કરશે. પીએમ મોદી પાટણ નડિયાદ ત્યારબાદ સાંજે સાબરમતી રિવરફ્રન્ટ પર સભા સંબોધશે. મોદીની આ સભાને ઐતિહાસિક બનાવવા માટે વ્યવસ્થામાં હજારો કાર્યકર્તાઓ લાગી ગયા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાટણ હેલિપેડ ગ્રાઉન્ડ એક્સપ્રેસ હાઈવે સભા. ત્યારબાદ સાત કલાકે આજે પાલડી રિવરફ્રન્ટ પર વિશાળ મેદનીને સંબોધિત કરશે.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રવાસે છે. ગઇ કાલે રવિવારે રાજ્યના તેમના ચૂંટણીલક્ષી પ્રચાર દરમ્યાન ર૬મા મંદિર ડાકોરના રણછોડરાયજી મંદિરનાં દર્શન કર્યાં હતાં.
આજે રાહુલ ગાંધી બનાસકાંઠાનાં થરાદમાં ૧ર કલાકે જાહેર સભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેમણે વીરમગામ કાતે પહોંચી જાહેર સભા સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે વીરમગામની કોંગ્રેસ મેળવેલી બેઠકના ઉમેદવાર તેજશ્રીબહેન પટેલ હવે આ ચૂંટણીમાં ભાજપમાંથી લડી રહ્યાં છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ બેઠક જીતી લેવા માટે એડી ચોટીનું જોર લગાવાયુ છે.
કોંગ્રેસ માટે બેઠક જાળવી રાખવાનો પ્રયાસ કરાશે. જ્યારે ભાજપ આ બેઠક આંચકી લેવાનો પ્રયાસ કરશે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી બેઠકને આવરી લેવા પાદરા અને ત્યારબાદ ગાંધીનગર ખાતે ચ-૩ સર્કલ નજીક રામકથા મેદાનમાં સભાને સંબોધન કરીને અમદાવાદ જ રાત્રી રોકાણ કરશે.