અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પ્રચારના છેલ્લા દિવસે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ભાજપ અને કોંગ્રેસના સુચિત રોડ-શો અને કોર્નર મિટીંગને મંજૂરી આપવામાં આવી નથી. પોલીસ કમિશ્નરે ટ્રાફિક અને કાનુન વ્યવસ્થાના કારણે મંજૂરી આપી નથી.
મહત્વનુ છે કે કોંગ્રેસ દ્વારા જગન્નાથ મંદિરથી અસારવા મેમ્કો સર્કલ સુધી રેલી યોજાવાની હતી. જ્યારે ભાજપ દ્વારા ધરણીદર દેરાસરથી બાપુનગર સુધી રેલી યોજાવાની હતી. ત્યારે હવે પોલીસ દ્વારા આ રેલીને મંજૂરી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ પટેલ દ્વારા આજે અમદાવાદમાં રોડ-શો યોજવામાં આવ્યો છે. આ રેલી ધુમાગામથી શરૂ કરવામાં આવી છે. રેલી શહેરના અંકુલ કે.કે.નગર રાણીપ અને હાટકેશ્વર ખોખરા અને બાપુનગરથી પસાર થશે ત્યાર બાદ નિકોલમાં જનસેવા ખાતે સભા યોજાશે.