ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થતાની સાથે જ ગુજરાતના સત્તાધારી પક્ષ તથા અન્ય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના ખાસ પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે ભાજપ પણ પોતાની રણનીતિ બનાવવામા મગ્ન બન્યુ છે.
ત્યારે ભાજપે હવે એક બુથ પર 10 યુથને બદલે એક બુથ 30 વર્કસ પર ભાર મુક્યા છે. ભાજપે ચુંટણી માટે તૈયાર કરેલ ખાસ રણનિતીમાં આ બદલાવ તાજેતરમાં આવ્યો હતો. આ બદલાવને કારણે હવે ચુંટણી સમયે એક કાર્યકર્તાને શિરે 25થી30 મતદાતાઓની જ જવાબદારી રહેશે.
ભાજપે પોતાની વ્યુહરચના બદલવાનો વિચાર કાર્યકર્તાને ઓછો ભાર મળતા તે વધુ પ્રભાવી રીતે કામ કરી શકશે તેવી પણ એક માન્યતા છે.
ભાજપ નજીક રહેલા સુત્રોના જણાવ્યાનુસાર 2014 ની લોકસભાની ચુંટણી જ અમિત શાહ બુથ મેનેજમેન્ટને લઇ ભાર આપતા રહ્યા છે ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણી ભાજપ માટે આબરૂના સવાલ સમાન છે ત્યારે આ વખતે પણ ચુંટણી સમયે બુથ મેનેજમેન્ટને લઇ ખાસ ભાર મુક્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાત ભાજપ દ્વારા નબળા બુથોને મજબુત કરવા માટે કેટલાક ખાસ વર્કર્સ તૈયાર કરવામાં આવ્યા હતા.
ભાજપની ખાસ રણનીતિ રહી છે કે મજબુત બુથો પર આ વખતે વધુમાં વધુ એ મતદાન થાય તથા તે માટે એક ખાસ બાબત પણ ધ્યાને આવે કે જે લોકો કોઇને કોઇ કારણથી ભાજપથી દુર રહ્યા છે તેમના પાર્ટી દ્વારા મનાવવાના પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.
મતદાનની તારીખોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ખાસ જરૂર પડવાની હોવાને કારણે દેશભરના કાર્યકર્તાઓની ખાસ મદદ લેવામાં આવી છે અને તે માટે ગ્રુપ બનાવાઇ રહ્યા છે જેમાં દેશબરમાંથી આવેલ કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે.