મહેસાણાઃ બહુચરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર રજની પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકની ખાસ વાત કરીએ તો બેચરાજી એટલે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલની બેઠક. રાજકીય રીતે મહત્વ ધરાવતી આ બેઠક ઉપર એક પણ નગરપાલિકા વિસ્તાર નથી. ગ્રામ પંચાયતના સમૂહની બનેલી આ બેઠક ઉપર પાટીદાર અને ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે.
આ બેઠક ઉપર છેલ્લી બે ટર્મથી ચૂંટણી જીતતા રજની પટેલને આ વખતે પણ ભાજપે રિપીટ કર્યા છે. ત્યારે રજની પટેલે આ વખતે પણ આ બેઠક ભારે બહુમતીથી જીતવાનો દાવો કર્યો છે. આ બેઠક ઉપર રજની ભાઈ પટેલના દસ વર્ષન શાસન કાળ દરમિયાન વિકાસના અનેક કામ થયા છે.
જેમાં બેચરાજી ખાતે મારૂતિ કંપનીનું આગમન અને બેચરાજી શક્તિપીઠના વીસ્તુતિકરણ પ્રોજેકટ મુખ્ય છે. તો આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો પ્રશ્ન હલ કરી શકાય તે માટે નર્મદા કેનાલ અને માઇનોર કેનાલનું નેટવર્ક પણ ગોઠવી દેવાયું છે. અને આ કામના સથવારે આ વખતે પણ જનતાના આશીર્વાદ તેમને મળવાની આશા વ્યકત કરી હતી.કોંગ્રેસ દ્વારા આ વખતે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી ભરતજી ઠાકોર ને ટિકિટ આપવામાં આવી છે.
જો કે ભરતજીની પસંદગી સામે કોંગ્રેસના નેતાઓમાં કયાંક ને કયાંક નારાજગી જોવા મળી રહી છે. તો કોંગ્રેસમાંથી ટિકિટ માગનાર કિરીટ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમ વિરોધ પક્ષની આંતરિક ખેંચતાણ ભાજપને ફાયદો કરાવી શકે છે..કોંગ્રેસના સંગઠન સામે ભાજપનું સંગઠન ખૂબ મજબૂત છે..આ તમામ પરિબળનો ફાયદો રાજની પટેલને થઈ શકે છે.