ભાજપના સરપંચ અભિવાદન કાર્યક્રમ અંગે ભરતસિંહ સોલંકીએ આકરી પ્રતિક્રિયા આપી હતી.તેમણે જણાવ્યું હતું કે "ભાજપનો આ કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની તૈયારીનો એક ભાગ છે.
તેમણે આગળ જણાવતા કહ્યું હતું કે હકીકતમાં ભાજપે સરપંચોના અધિકારો લઈ લીધા છે."આ કાર્યક્રમમાં સરપંચ સિવાયના લોકો આવ્યા હતા.જેટલા પણ ગણ્યા ગાંઠયા સરપંચો આવ્યા તે ડરના માર્યા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યલય કમલમ ખાતે સરપંચની ચૂંટણીમાં વિજેતા સરપંચ માટે સમારોહનું આયોજન કરાયું હતું.જેમાં ગુજરાતમાંથી કેટલાય સરપંચો હાજર રહ્યા હતા.
ત્યારે જૂનાગઢના માળિયાના ભીખોર ગામના સરપંચે નારાજગી દર્શાવી છે. અને સરકાર સરપંચને માત્ર શોભાના ગાંઠિયા તરીકે ઉપયોગ કરતી હોવાનો આક્ષેપ કરી સરપંચોને ઓળખ કાર્ડ સાથેના મહત્વના પુરાવા આપવા માંગ કરી હતી.