અરવલ્લી વિધાનસભાની ત્રણ બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત થયેલા નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અરવલ્લીના મોડાસા ભિલોડા અને બાયડ બેઠક માટે ઉમેવારોએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
આ બેઠકોને લઈને 13 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. નિરીક્ષકોમાં પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલા અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષીબહેન પટેલ અને પૂર્વ સાંસદ નટુજી ઠાકોર હાજર રહ્યા હતા.