સપ્તપદિના સાત ફેરા જેના એક એક ફેરાનું મહત્વ છેજેમાં નવવધુ અને વર એકબીજાને સાત વચનો આપે છેએવા વચનો જેનું જીવન ભર પાલન કરવાના સોગંદ લેવાય છે. દુખઃ સુખમાં સાથે રહેવાના સાત વચનો. પરંતુ હવે બિહારમાં યુગલોએ સાત નહીં પરંતુ આઠ વચન આપવા પડશે. જી હાં બિહાર સરકારે લગ્નપ્રથામાં આઠમું વચન ઉમેરી દીધું છે. અને આઠમા વચનનો પ્રભાવ એવો હશે કે વર પક્ષના લોકોને જેલ પણ થઈ શકે છે.
બિહારમાં લગ્ન કરનારે હવે આઠમું વચન આપવાનું રહેશે. જેમાં તેમણે અધિકારીક રીતે લખાણ આપવાનું રહેશે કે આ બાળલગ્ન નથીઆ સાથે જ લગ્નમાં દહેજ સંબંધી કોઈ જ વ્યવહાર નથી કરાયો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બાળવિવાહ અને દહેજ પ્રથા વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં લગ્ન સમયે એક શપથપત્ર આપવામાં આવશે. જે બંને પક્ષોએ ભરીને આપવાનું રહેશે. આ શપથપત્ર ભરવાની જવાબદારી મેરેજ હોલના મેનેજરસંચાલક અથવા હોલના માલિકની રહેશે. આ શપથપત્ર ભર્યા વિના વર કે વધુ પક્ષ હોલનું બૂશકગ નહીં કરાવી શકે.
બિહાર સરકાર બાળવિવાહ અને દહેજ ઉન્મૂલનને લઈને અનેક અભિયાન ચલાવી રહી છે. આમ છતાં બિહારમાં 40 ટકાના દરે બાળવિવાહ થઈ રહ્યા છે. બિહાર દેશનું બીજું રાજ્ય છેજ્યાં સૌથી વધુ બાળ વિવાહ થાય છે. ત્યારે 2 ઓ~ટોબરના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમારે ખુદ શાળા-કોલેજોસરકારી ઓફિસોમાં દહેજ નહીં લેવા માટે શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ તેમણે દહેજની લેવડ-દેવડ થતી હોય તેવા લગ્નોનો બહિષ્કાર કરવાની લોકોને અપીલ કરી છે.
ત્યારે લગ્નપ્રથામાં આઠમુ વચન નીતિશ સરકારની એ ઝુંબેશનો ભાગ છે. મેરેજ હોલસમાજની વાડીહોટેલ અથવા અન્ય સાર્વજનિક સ્થળે થનારા લગ્નોમાં સંચાલકો અથવા મેનેજર્સે આ શપથપત્ર સરકારમાં જમા કરાવવાનું રહેશે. સરકાર આગામી સમયમાં આ વ્યવસ્થાને ઓનલાઇન પણ બનાવવાનું વિચારી રહી છે.ત્યારે નીતિશ સરકારની આ પહેલ ખરેખરમાં તો દેશભરમાં લાગુ કરવાની જરૂરિયાત છે.