મહુવાઃ મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે નેશનલ હાઇવે પર ભાજપની ગુજરાત ગૌરવયાત્રાના પોસ્ટરો લગાવવા થાંભલે ચડેલા બે યુવાનોને ઇલેક્ટ્રીક શોક લાગતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. બન્ને યુવાનોને શોક લાગતા સારવાર અર્થે સદભાવના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમને મૃત જાહેર કરાયા હતા.
મળતી માહિતી અનુસાર ભાવનગર જીલ્લાના ભાદ્રોડ ગામે જ્યારે ગૌરવયાત્રાના પોસ્ટરોને લગાવવા થાંભલે ચડેલા ઇલીયાસભાઇ કલાણીયા અને શામજીભાઇ શિયાળ જેઓ બન્ને મહુવાના રહેવાસી હતા. જેઓ બન્નેને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો અને મોત નિપજ્યા હતા. ધટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.