ભાવનગર બેઠક પરથી પુરૂષોતમ સોલંકી પોતે ચૂંટણી લડશે તે અંગે તેમણે પોતે જ ખુલાસો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અફવાહો ઉડી રહી છે કે ભાવનગરમાં ભાજપ તરફથી મંત્રી પુરૂષોતમ સોલંકીનો પુત્ર ચૂંટણી લડશે.
આ મામલે પુરૂષોતમ સોલંકીએ જણાવ્યુ કે આગામી વિધાનસભાની ચૂંટણી હું જ લડવાનો છુ મારા પુત્રના નામે અફવાઓ ચાલી રહી છે. ત્યાર બાદ તેમણે કહ્યુ કે કોંગ્રેસમાંથી ભાજપમાં રાજુ સોલંકી જોડાવવાથી મને કોઈ ફર્ક પડતો નથી.