ભાવનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકિય પક્ષોમાં ઉમેદવારો પોતાને ટિકિટ મળે તે માટે અત્યારથી લોબિંગ કરી રહ્યા છે. તેમના ગોડ ફાધરોની આગળ પાછળ ફરી રહ્યા છે. ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટેની કામગીરી અંતિમ તબક્કામાં છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ભાજપ તેના 3 સીટિંગ ધારાસભ્યોના પત્તા કાપે તેવી લોકચર્ચા શરૂ થઇ ગઇ છે.
જેમાં કેશુભાઈ નાકરાણી ભાવના મકવાણા શીવાભાઈ ગોહિલનો સમાવેશ થાય છે. જો કે આખરી નિર્ણય હજુ પાર્ટીએ કર્યો નથી.
તળાજાના ધારાસભ્ય શીવાભાઇ ગોહિલ નિક્રિયતા અને કામો ના કરવાના કારણે ટિકિટમાંથી કપાઈ તેવી સંભાવના છે. શીવાભાઇ ગોહિલ વર્ષ 2014ની પેટાચૂંટણીમાં ધારાસભ્ય બન્યા હતા.
મહુવાના ધારાસભ્ય ભાવના મકવાણાને ટિકિટ નહી મળવાનું કારણ તેમની કામગીરી બોલતી નથી. સ્થાનિકો નીતિરીતિથી નારાજ છે. જેથી ભાવનાબેનને ટિકિટ આપશે નહી.
ગારિયાધાર બેન્ક પર કેશુભાઇ 5 ટર્મથી ધારાસભ્ય છે. તેમની કોઇ કામગીરી બોલાતી નથી. ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો તેમણી સામે થયા છે. આમતો ભાવનગર જિલ્લામાં કોળી સમાજનું વર્ચસ્વ કરો. મહુવા તળાજાની બેઠકો તો કોળી સમાજ પાસે છે.