ભાવનગર: નવા વર્ષ નાં પ્રારંભે ભાવનગર માં આવેલ BAPS મંદિર અક્ષરવાડી ખાતે અન્નકુટ નાં દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ અન્નકૂટ માં ૧૨૦૦ જેટલી વાનગીઓ ભગવાન ને પીરસવામાં આવી હતી.
સંતો અને હરીભકતો દ્વારા વિવધ વાનગીઓ ભગવાન ને ધરવવામાં આવી હતી આજે અહી દર્શન માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો દર્શન માટે ઉમટી પડ્યા હતા લોકો અન્કુટના દર્શન કરી ને ભાવવિભોર બન્યા હતા.
અહી ભગવાનને મીઠાઈ તેમજ ઠંડા-પીણા અને જ્યુસ પણ ધરાવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભગવાનને ધરવામાં આવેલી તમામ સામગ્રી સંતો દ્વારા તૈયાર કરવામાં આવી હતી.