ભરૂચના અંકલેશ્વરમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે.અંકલેશ્વરના લક્ષ્મણનગર વિસ્તારમાં અંગત અદાવતમાં એક શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું.અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગમાં શખ્સ મૃત્યુ પામ્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પરપ્રાંતિય શખ્સો સાથે મૃતકની માથાકુટ થઈ હતી.
આ માથાકુટ બાદ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.જેમાં શખ્સ મૃત્યુ પામ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી અજાણ્યા શખ્સોને ઝડપવાની કામગીરી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી રાજ્યમાં ગુનાહિત પ્રવૃતિએ માથું ઉચક્યું છે.અને રોજ અઘટિત બનાવો બની રહ્યા છે ત્યારે ગઇકાલે ફરી એકવાર ગત સાંજે અંકલેશ્વર ખાતે એક શખ્સ પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી હતી. અંગત અદાવતમાં કરવામાં આવેલ આ ફાયરિંગમાં તે એક શખ્સનું ગોળી વાગતા મોત થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
આ ઘટના બાબતે પોલીસે ફરિયાદ નોંધીને ફાયરિંગ કરનાર શખ્સોને પકડવા પોતાના સુત્રો ગતિમાન કર્યા છે.આવા બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે તેને અટકાવવા માટે પોલીસ વધુ કડક બને અને આવા શખ્સોને પકડીને તેની સામે કાયદાકિય પગલા લે તેવી લોકમાગ ઉઠવા પામી હતી.