હાર્દિક પટેલ સામેના કેસ પરત ખેંચવાના રાજકોટ કલેક્ટરે આપેલા હુકમ બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સિંહે નિવેદન આપ્યું હતું. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હાર્દિક સામે સરકારે વેરવૃત્તિ રાખી છે.
સરકારનું વલણ જ એવું રહ્યું છે કે સમાજ માટે લડતા યુવકો પર કેસ કરી દેવામાં આવે છે. સમાજ માટે લડતા હાર્દિક પટેલ સામે સરકારે રાજદ્રોહનો કેસ લગાવી દીધો છે. તેમણે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.