મુંબઇઃ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સહ કાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ RSSના એક કાર્યક્રમમાં રામ મંદિરને લઇને નિવેદન આપ્યું છે. મંદિર ક્યારે બનશે તે સવાલ પર ભૈયાજી જોશીએ કહ્યું છે કે રામ મંદિર અવશ્ય બનશે.
કોઇ કઇ પણ કહે માત્ર કોર્ટનો જે નિર્ણય છે તે આવી જાય. સાથે જ તેમણે ગૌરક્ષા મુદ્દે કહ્યું હતું કે ગૌરક્ષા ઇસ્લામ મુસલમાન કે કોઇની વિરૂદ્ધ નથી. આ સાંપ્રદાયિક મુદ્દો છે. આ દેશનો મુદ્દો છે.
ઉલ્લેખનીય છે કે રામ મંદિરને લઇ વિવાદો ચાલી રહ્યા છે ત્યારે RSSના સહ કાર્યવાહ દ્વારા આ પ્રકારનું નિવેદન અપાયું છે. તેમણે કહ્યું કે રામ મંદિર અવશ્ય બનશે. કોઇ કંઇ પણ કહે માત્ર કોર્ટનો જે નિર્ણય છે તે આવી જાય.