પાણી પીવું ખૂબ જ જરૂરી છે. એનાથી શરીરના ઝેરી પદાર્થો બહાર નિકળી જાય છે અને બીમારીઓ પણ દૂર થાય છે. દિવસની શરૂઆત સવારે એક ગ્લાસ પાણીથી કરવામાં આવે તો દિવસ સારો પસાર થાય છે. એ વાતનું ધ્યાન રાખો કે સવારે પાણી પીવાના એક કલાક બાદ કંઇ ખાશો નહીં અને આખો દિવસ 8-10 ગ્લાસ પાણી જરૂરથી પીવો.
- સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણી પીવાથી પેટ સાફ થઇ જાય છે. એનાથી શરીર પોષક તત્વ સરળતાથી ગ્રહણ કરી લે છે અને પાચન ક્રિયા પણ સારી રહે છે.
- સ્કીનને ચમકદાર બનાવવા માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે. એનાથી લોહી સાફ થાય છે અને સ્કીનથી જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થાય છે.
- સવારના સમયે ખાલી પેટ પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝ્મ વધે છે. જેનાથી વધારાની ચરબી પીગળવા લાગે છે અને મેદસ્વિતા ઓછી થવા લાગે છે.
- પાણીનું સેવન કરવાથી પેટ સાફ રહે છે પાચન ક્રિયા સારી થવાથી ભૂખ વધવા લાગે છે.
- ખાલી પેટ પાણીનું સેવન કરવાથી ડાયરિયા કિડનીથી જોડાયેલી પરેશાનીઓ માથાના દુખાવો પેટનો ગેસ વગેરે બીમારીઓ દૂર રહે છે.