પાન માત્ર માઉથ ફ્રેશનર જ નહીં પરંતુ લવ ફૂડ પણ છે. એમાં કામેચ્છા વધારવાની જોકદાર તાકાત હોય છે. એટલા માટે લગ્નની પહેલી રાતે નવા જોડાને મસાલા પાન ખવડાવવાનો રિવાજ હોય છે.
પાનના પત્તામાં થિયામાઇન નિયાનસિન રિબોફ્લેવિન કેરોટિન ફાઇબર વિટામીન સી વિટામીન એ પોટેશિયમ કેલ્શિયમ આયરન અને આયોડિન હોય છે.
પ્રાચીન આયુર્વેદમાં તો ઔષધીય ગુણોનું વર્ણન તો છે જ પરંતુ હવે અંગ્રેજી મેડિકલ પણ માને છે કે પાનના પત્તાને ચાવવાથી પેટની બીમારીઓથી રાહત મળે છે. એમાં પેટના અલ્સરનો પણ સમાવેશ થાય છે.
ભાગમભાગ વાળી જીંદગીમાં મોટાભાગના લોકોને પાચન સંબંધઇ ફરીયાદ સામાન્ય છે. પાન ચાવવાથી જમવાનું પચે છે. એટલા માટે દરરોજ એક અથવા બે પાનના પત્તા જરૂરથી ચાવો અને ફીટ રહો.
પાનના પત્તામાં બ્લડ શુગરથી લડનારી એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટીઝ હોય છે. એક ચોંકાવનારું સત્ય એ પણ છે કે પાન ચાવવાથી મોં નું કેન્સ થતું નથી. પરંતુ એ વાત ત્યારે લાગૂ પડે છે જ્યારે પાન તમાકુ વગર ઉપયોગ કરવામાં આવે.
જે લોકોના મોઢામાંથી દુર્ગંધ આવે છે. એમને પાન ચાવવું જોઇએ પાન દુર્ગંધ વાળા બેક્ટેરિયા પર પ્રહાર કરે છે અને મોંઢાની એ પ્રકારની બીમારીઓથી બચાવે છે. સારા પરિણામ માટે પાનને લવિંગ ઇલાયચી વરિયાળી મિશ્રી નારિયેલની સાથે માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરો.
ઘાવ પર પાનના પત્તાનો રસ લગાવો. ઘાવ મોટો અને ઊંડો હોય ચો રસ લગાવીને પટ્ટી લગાવી દો