ગાંધીનગરઃ ગુજરાતની ચૂંટણીના જંગમાં ફરી એક વાર ભાજપ જીતશે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપનો જાદૂ જળવાઇ રહેશે. અને CM વિજય રૂપાણી જ બનશે. આવી ભવિષ્યવાણી કરી છે જાણિતા જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાએ. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને Vtv સાથે કરેલી ખાસ વાતચીતમાં ભાજપનો જાદૂ જળવાઇ રહેશે તેવી આગાહી કરી હતી.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી એક વખત ભાજપ નૉજ ભગવો લહેરાશે. અને મુખ્ય પ્રધાન તરીકે ફરી એક વખત વિજય રુપાણી સતારુઢ થશે તેવી આગાહી દેશના જાણીતા જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાએ કરી છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની ખાનગી મુલાકાતે આવેલ બેજાન દારૂવાલાએ આ મુદ્દે વીટીવી સાથે મુલાકાત દરિમયાન ભવિષ્ય વાણી કરી છે. તો ગંગા સફાઈના મુદ્દે જણાવતા બેજાન દારૂવાલાએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીનો જન્મ સફાઈ માટે થયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની ખાનગી મુલાકાતએ આવેલ બેજાન દારૂવાલાએ આ મુદ્દે સેલવાસમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેઓએ ગુજરાત વિધાનસભા ચૂંટણી પર આગાહીઓ કરી હતી. બેજાન દારૂવાલાના મત મુજબ આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદીનો જાદૂ ચાલશે અને ગુજરાતમાં ભાજપ 140 થી 150 બેઠકો જીતીને ગુજરાતમાં ભાજપ પોતાનો દબદબો જાળવી રાખશે.
વધુમાં બેજાન દારૂવાલાએ ગુજરાતમાં ચૂંટણી પછી વિજય રુપાણી જ મુખ્ય પ્રધાન બનશે. તો કોંગ્રેસ વિષે પણ બેજાન દારુવાલાએ ભવિષ્યવાણી કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસનો જમાનો હવે પૂર્ણ થયો છે અને આ વખતે પણ ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળે તેવા કોઇ સંજોગો દેખાતા નથી. તો ગંગા સફાઈના મુદ્દે જણાવતા બેજાન દારૂવાલાએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીનો જન્મ સફાઈ માટે થયો છે.