ભારત સહીત વિશ્વના તમામ દેશોમાં સૌથી વિકટ પ્રશ્ન છે હાર્ટ અટેક.નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકોને હાર્ટ અટેક આવતા અચાનક મૃત્યુ પામે છે. ક્યારેક એવું પણ સાંભળવામાં આવે છે કે નખમાં પણ રોગ નહોતો પણ એક હાર્ટ અટેકને કારણે તે મૃત્યુ પામ્યા બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનથી આ રોગને લોકો નોંતરી રહ્યા છે. પરંતુ જો નિયમિત યોગવ્યાયામ અને જીવન જરૂરિયાત ચીજોમાં થોડો બદલાવ કરવાથી આ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે.
સોયાબીનનો ઉપયોગ કરો
દરેક વ્યક્તિએ રોજ 50 ગ્રામ જેટલા સોયાબીનનો પોતાના ખોરાકમાં લેવા જોઈએસોયાબીનમાં ઓમેગા-3 ફેટ્સ અને ફાઈબરનું સારું એવું પ્રમાણ હોવાથી શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.
મેથી છે ગુણકારી
રોજીંદા ખોરાકમાં 2 ચમચી મેથી નાંખવી જોઈએમેથી શરીરમાં વધી રહેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. મેથીને પાણી અથવા શાકભાજી સાથે લઈ શકાય છે.
ઈંસબગુલ કોલેસ્ટ્રોલ કરશે દુર
ઈંસબગુલનો પાવડર દિવસભરમાં 50 ગ્રામ લેવાથી કોલેસ્ટ્રોલ પર નિયંત્રિત રાખી શકાય છે. ઈંસબગુલ આપણા પેટમાં તેલીય તત્વોને સાફ કરવામાં ખાસ મદદરૂપ થાય છે.
ચણા
ચણામાં ભરપૂર આયરન અને સેલેનિયમની માત્રા હોય છે. ચણામાં ફોલિક એસિડનું પ્રમાણ પણ ખૂબજ મોટા પ્રમાણમાં હોય છે. ચણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રૉલને હટાવવાનું કામ કરે છે.
આંબળાનો ભરપુર ઉપયોગ
વિટામિન-સી થી ભરપૂર બે આંબળા દિવસભરમાં ખાવાથી લોહીની ગુણવત્તા સારી થાય છે. આંબળા શરીરમાં ઑક્સિજનનો પ્રવાહ સારો બનાવી રાખે છે.
ખોરાકમાં લસણ જરૂરી
લસણની 4 કળીઓ રોજ ખાવાથી લોહીની નળીઓમાં થાકની સમસ્યા દૂર થાય છે. થાકના કારણે હૃદય સારી રીતે પમ્પિંગ કરી શકતું નથીજેના કારણે હાર્ટઅટેકનો ખતરો ઉભો થાય છે.