BCCIએ શ્રીલંકા વિરુદ્ઘની ત્રીજી વનડે અને વનડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. કેપ્ટન વિરાટ કોહલીને વનડે સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે અને રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી સંભાળશે. જોકે વિરાટ કોહલી શ્રીલંકા વિરુદ્ઘ દિલ્હીમાં થનારી છેલ્લી ટેસ્ટ મેચ રમશે.
વન ડે સીરિઝ માટે ફાસ્ટ બૉલર સિદ્ઘાર્થ કૌલના નામના નવા ચહેરાને ટીમમાં લેવામાં આવ્યો છે. મુંબઇના બૉલર શ્રેયર અય્યર અને સિદ્ઘાર્થ ટીમમાં 2 નવા ચહેરા છે. મનીષ પાંડે કેદાર જાધવ અને દિનેશ કાર્તિકે પણ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ થયા છે.
ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં 2-6 ડિસેમ્બરની વચ્ચે રમાશે. વનડે સીરિઝની પહેલી મેચ ઘર્મશાળામાં 10 ડિસેમ્બરે રમાશે. જ્યારે સીરિઝની બીજી મેચ બંને ટીમોની વચ્ચે મોહાલમાં 13 ડિસેમ્બરના રમાશે. જ્યારે વિશાખાપટ્ટનમમાં 17 ડિસેમ્બરે છેલ્લી વનડે રમાશે. 3 T-20 મેચની સીરિઝની શરૂઆત 20 ડિસેમ્બરે શરૂ થશે.