ભારતીય ટીમના જાણીતા બેટ્સમેન યુવરાજ સિંહ છેલ્લે કેટલાક સમયથી સોશ્યલ મિડીયા પર વધુ એક્ટીવ જોવા મળે છે. તાજેતરમાં તેમણે ઇંસ્ટાગ્રામ પર એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં લખ્યુ હતુ કે " ક્રિકેટમાં આપના દ્વારા દેવામાં આવેલ વિકેટોમાંથી એક ".
ઉલ્લેખનીય છે કે અંપાયરની એક મોટી ભુલ હતી કે દડો બેટને અડ્યા વગર નિકળી ગયો હતો છતાં તેને તે બેટ્સમેનને આઉટ આપવામાં આવ્યો હતો.
આ વિડીયોમાં બોલર વિકેટથી દુર બોલ ફેંકે છે બેટ્સમેન તેને છોડી દે છે અને વિકેટકીપર તેને પકડી લે છે. આ ઘટનાની કોઇ ખેલાડીએ કોઇપણ પ્રકારની અપીલ પણ કરી નથી તેમ છતાં અચાનક અંપાયર આંગળી ઉપાડી આઉટ જાહેર કરે છે. અને બેટ્સમેન પેવેલિયન તરફ દોડી જાય છે.
ટીમમાં પરત આવવાનો પ્રયાસ
યુવરાજ સિંહ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમની બહાર છે. જો કે તે સતત પ્રેકટીસ કરી રહ્યા છે તથા તે " યો યો ફિટનેસ ટેસ્ટ" પાસ કરવામાંટે પણ અથાગ મહેનત કરી રહ્યા છે.
યુવરાજ સિંહે અંતિમ વન-ડે મેચ 30 જુન 2017 ના રોજ વેસ્ટંડીઝ સામે રમી હતી.