આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો આજે છેલ્લો દિવસ હતો પરંતુ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેદ્રસિંહ વાઘેલાએ કોઈ પણ બેઠક પર ઉમેદવારી નોંધાવી નથી. મહત્વનુ છે કે મહેદ્રસિંહ વાઘેલા ભાજપ અથવા જનવિકલ્પમાંથી ઉમેદવારી નોંધવે તેવી શક્યતાઓ હતી.
મહેદ્રસિંહ વાઘેલા કપડવંજ ગાંધીનગર ઉાર અને બાયડ બેઠકમાંથી કોઈ બેઠક પર ઉમેદવારી નોંધાવી શકતા હતા. પરંતુ તેમણે કોઈ પણ બેઠક પર ઉમેદવારી નોંધાવી નથી. ત્યારે હવે મહેદ્રસિંહના રાજકીય ભવિષ્ય પર સવાલો ઉઠ્યા છે.
મહેન્દ્રસિંહ વાઘેલાને મળી શકે છે ભાજપમાં મોટું પદ-સુત્ર
ભવિષ્યમાં ભાજપમાં મળી શકે છે મોટું પદ-સુત્ર
મહેન્દ્રસિંહ વાઘેલા અને ભાજપના નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક
બેઠકમાં મહેન્દ્રસિંહ હાલ ભાજપમાં નહી જોડાય તેવું થયું નક્કી-સુત્ર
જો મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાય તો જન વિકલ્પને થઇ શકે નુકશાન
જનવિકલ્પને નુકશાન થાય તો કોંગ્રેસને થાય ફાયદો
આથી ભાજપ અને મહેન્દ્રસિંહ હોઇ શકે છે કોઇ ડીલ-સુત્ર
મહત્વનુ છે કે ભાજપ દ્વારા બાયડ બેઠક પર અદેસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે અને અદેસિંહ ચૌહાણ મહેદ્રસિંહ વાઘેલાના ખાસ માણસ ગણાય છે. જોકે હવે મહેદ્રસિંહે કોઈ પણ બેઠક અને પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી નથી. ત્યારે હવે આગામી દિવસોમાં મહેદ્રસિંહ કોને સમર્થન આપશે અને તે હવે આગામી દિવસોમાં જોવાનુ રહેશે.