નવી દિલ્હી: જો તમારે બેંકથી જોડાયેલું કોઇ જરૂરી કામ છે તો આજે જ પૂર્ણ કરી દો કારણ કે શનીવારથી બેંકોમાં 3 દિવસની લાંબી રજાઓ પડવાની છે. સતત 3 દિવસ બેંક બંધ રહેવાથી રોકડની સમસ્યા પણ થઇ શકે છે. મોટાભાગે આવી હાલાતમાં એટીએમ પણ રોકડથી ખાલી થઇ જાય છે. દેશભરમાં નવરાત્રીનો માહોલ છે. દશેરાની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. આ બધા વચ્ચે એવું ધ્યાન આપવું જરૂરી છે કે જેના કામનો બેંકોમાં સીધો સંબંધ છે. અમે જણાવીશું કે આ રજાઓ પહેલા આજે તમે તમારા બેંક વાળા સાથે પણ કામ પતાવી દો.
જાણકારી પ્રમાણે આ તહેવારની સિઝનમાં બેંક સળંગ 3 દિવસની રજા પર રહી શકે છે. 30 સપ્ટેમ્બરે દશેરા એક ઓક્ટોબરે રવિવાર છે અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની પણ રજા છે. આ રીતે સળંગ ત્રણ દિવસ બેંક બંધ રહેશે.
રજાના કારણે લોકોને વધારે પરેશાનીઓનો સામનો કરવા પડી શકે છે. એના માટે શહેરમાં લાગેલા દરેક એટીએમમાં પૈસાની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.
એટીએમમાં પૈસા નાંખવાનો કોન્ટ્રાક્ટ હવે મોટાભાગની બેંકો ખાનગી કંપનીઓને આપી રહી છે. જેનાથી આ પરેશાનીઓથી છુટકારો મળી ચૂક્યો છે.