બનાસકાંઠાના પાલનપુરમાં અપહ્યત વેપારીનો છૂટકરો થયો છે.હાઈ-વે પરથી વેપારીનું 10 જેટલા શખ્સે અપહરણ કર્યું હતું.અને વેપારી સાથે અપહરણકર્તાઓએ લૂંટ પણ ચલાવી હતી.વેપારી પાસેથી રોકડ લૂંટીને માથામાં છરીના ઘા માર્યા અને 10 હજારની લૂંટ કરી હતી.જોકે બાદમાં પોલીસે અપહરણકારોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરતા આરોપીઓ વેપારીને મુકીને ફરાર થઈ ગયા.
ઉલ્લેખનીય છે કે ગતરોજ પાલનપુરની વે-વેઇટ હોટલથી અજીત ચૌધરી નામના વેપારીનું અપહરણનો બનાવ બન્યો હતો જેમાં દસ જેટલા ઈસમો દ્વારા હોટલ પરથી આ વેપારીને કિડનેપ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી દસ હજાર જેટલી રોકડ રકમ તેમજ સોનાની દોઢ તોલાની ચેન લૂંટી લેવામાં આવેલ અને ત્યારબાદ વેપારીને છરીના ઘા મારવામાં આવ્યા હતી.
આ ઘટનાની જાણ વેપારીના પરિવારજનોએ નજીકના પોલીસ મથકે કરતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને બંધકને છોડાવવા ચક્રો ગતિમાન કર્યા હતા.જોકે મોડી સાંજે બંધક મળી આવતા તેને સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પરંતુ આ અપહરણકારોને પકડવા પોલીસે સુત્રો ગતિમાન કર્યા હતા.