બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ આવેલા પાણી ના કારણે સિપુ ડેમ ઓવરફ્લો થયો હતો જોકે વર્ષો બાદ આવેલા આ પાણીએ પાંચ હજાર વર્ષ પુરાણુ શિવજીનું મંદિર આજે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે.
ચાલુ વર્ષે બનાસકાંઠા અને ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદ ખાબકયો છે જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ત્યારે સિપુ ડેમના પાછળના ભાગે પાસવાદળ ગામ પાસે ગંગેશ્વર ધામ આવેલું છે જ્યાં પાંડવો વખતનું એટલે કે પાંચ હજાર વર્ષ જૂનું પુરાણું શિવજીનું મંદિર આવેલું હતું અને જે મંદિરના દર્શને જિલ્લાભરમાંથી લોકો આવતા હતા પરંતુ ચાલુ સાલે આવેલા અવિરત પાણી ન કારણે આખું પુરાણું શિવજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે પાણીની વચ્ચેમા ચાલીસ ફૂટ ઊંચું પુરાણું મંદિર આજે એક ફૂટ દેખાઈ રહ્યું છે.
બાકીનું તમામ મંદિર મૂર્તિઓ પાણી માં ગરકાવ થઈ જવા પામી છે. આ પુરાણા મંદિરમાં અગાઉ2015ની સાલમાં થોડું ડૂબાયો હતો જેથી હોડી વડે પૂજા કરવા જવાતું હતું અને સિપુ કલેકટર દ્વારા હોડી ફાળવવામાં આવી હતી પરંતુ હાલમાં પૂરું મંદિર પાણીમાં હોઈ જઈ શકાતું નથી ત્યારે પૂજારી દ્વારા પાણીના કિનારેથી શિવજીની પૂજા થાય છે જ્યારે દર્શને આવતા ભક્તો મંદિરમાં કિનારેથી દર્શન કરી રહ્યા છે.
પૂજારી અને ગ્રામજનો તેમજ ભક્તો ની દ્વારા નવું એક મંદિર બનાવવામાં આવ્યું હતું જેમાં પણ હાલ કેડ સમુ પાણી છે જ્યાં પણ દર્શન થતા નથી. હાલમાં ભક્તો પાણીના કિનારે દર્શન કરી રહ્યા છે પંરતુ પૂજારી અને ભક્તો ની માગણી છે કે પાણી ઓસર્યા બાદ પુરાતત્વ વિભાગ દ્વારા આ પાંચ હજારવર્ષ જુના પ્રાચીન મંદિર અને વર્ષો જુના મંદિર ને ફરીથી ઉભું કરવા તેમજ જાળવણી માટે આગળ આવે તેવી માંગ કરી રહ્યા છે.