બનાસકાંઠા નર્મદા કેનાલ પર છેલ્લા 3 દિવસમાં 800 જેટલા ગેરકાયદે કનેક્શન કપાયા હોવાની માહિતી મળઈ રહી છે. કનેક્શન કપાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર નર્મદા અધિકારીઓ હાલમાં ગેરકાયદે પાણી કનેક્શન લેતા લોકો પર લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 3 દિવસમાં અધિકારીઓ દ્વારા 800 જેટલા ગેરકાયદે કનેક્શન કાપવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. કનેક્શન કપાતા હજારો એકરમાં પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
નોંધનીય છે કે નર્મદાના અધિકારીઓની કાર્યવાહીથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જેના કારણે અધિકારીઓ હોબાળાના ડરના કારણે પોલીસના કાફલા સાથે કનેકશન કાપી રહ્યા છે.