પાકિસ્તાનના ઇસ્લામાબાદ સહિત કેટલાક શહેરોમાં પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.કરાંચી અને ઇસ્લામાબાદમાં પ્રદર્શન થઇ રહ્યા છે. અને પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ટીવી પર ઘર્ષણના કવરેજ પર પ્રતિબંધ લગાવી દીધો છે.રસૂલ અલ્લાહ નામથી ઇસ્લામિક સંગઠને એક ઇલેકશન એકટની કેટલીક વાતોનો વિરોધ શરૂ કર્યો છે.
જો કે બાદમાં આ એક્ટમાંથી વિવાદિત વાતોને હટાવી દેવામાં આવી હતી. પ્રદર્શન પર કાબુ મેળવવા માટે 8500 સ્પેશિયલ પોલીસના જવાનો લગાવવામાં આવ્યા છે.
150 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ઘર્ષણમાં 67 લોકોને ઇજા પહોચી છે. જેમાં 27 સામાન્ય જનતા છે.. અને અન્ય પોલીસ અધિકારીઓ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે સરકારનો વિરોધ કરવાના હેતુથી પ્રદર્શન કર્તાઓ રસ્તા પર ઠેર-ઠેર ઉતરી આવ્યા હતા. જેને પગલે પોલીસ તંત્ર દ્વારા તેમને અટકાવવમાંટે બળ પ્રયોગ કરાતા પોલીસ અને પ્રજા વચ્ચે ખાસ ઘર્ષણ થયું હતું
આ સમાચારો માધ્યમોમાં વહેતા ના થાય તે માટે સરકાર દ્વારા પ્રચાર માધ્યમો પર લાઇવ પ્રસારણ પર રોક લાવવામાં આવી હતી.