FMCG માર્કેટમાં દુનિયાની સૌથી મોટી કંપનીઓથી આગળ નીકળ્યા પછી હવે યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે હવે નવી યોજના બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસારપંતજલિ હવે ઇ-કોમર્સ માર્કેટમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. આ માટે કંપની 8 સૌથી મોટી ઇ-કોમર્સ કંપનીઓની સાથે મળીને નવી સ્ટ્રેટેર્જી પર કામ કરી રહી છે.
એન્ટ્રીની તૈયારી શરૂ:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર. પંતજલિ આયુર્વેદ હવે ઑનલાઇન માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. પંતજલિની પ્રોડક્ટ્સની ઑનલાઇન શૉપિંગનું નવું ચેપ્ટર જલ્દી શરૂ થશે. ઘણી ઇ-કોમર્સ પોર્ટલ્સ પર તેની ઉપલબ્ધા થશે. આ પહેલા 26 ડિસેમ્બરના પંતજિલ આયુર્વેદની તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે ઇન્ટરનેશનલ કંપની સાથેની હરિફાઇમાં હવે તેમનું લક્ષ્ય ડાયપર અને સેનેટરી નેપકિન્સના માર્કેટ પર છે.
પંતજલિના બિઝનેસમાં થયો ગ્રોથ:
દેશની સૌથી ફાસ્ટ ગ્રોથ કરનાર કંપનીઓમાં શામેલ થનારી પંતજલિ ફોર્બ્સ મેગેઝિનની 2017ની વાર્ષિક લિસ્ટમાં 19માં સ્થાને છે. આ પહેલા કંપની 45માં સ્થાન પર રહી હતી. ઉલ્લેખનીય છે કેપતંજલિનું ઘીશેમ્પુ અને દંતકાંતિ મંજન જેવી પ્રોડક્ટ ખાસ્સી લોકપ્રિય થઈ ગઈ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ પોતાની રણનીતિઓમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.