નવી દિલ્હીઃ બે સાધ્વીઓ પર બળાત્કારના કેસમાં દોષિત ગુરમિત રામ રહિમની મુશ્કેલીઓ વધી શકે છે. રામ રહિમ વિરુદ્ધ વધુ બે કેસોમાં સુનાવણી થઈ રહી છે. આ બે કેસમાંથી એક પત્રકાર છત્રપતિ અને બીજો કેસ ડેરાના પૂર્વ મેનેજર રંજીતની હત્યાનો છે. વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી પહેલા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પંચકૂલામાં અદ્ધસૈનિક દળઅને હરિયાણા પોલીસની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.
છત્રપતિ સિરસાના સાંધ્ય દૈનિક પૂરા સચના તંત્રી હતા. જેમની 2002માં ઘર બહાર ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. છત્રપતિ જ હતા જેમણે બાબાના કુકર્મોનો પર્દાફાશ કર્યો. તો ડેરાના પૂર્વ મેનેજર રણજીતની 2002માં હત્યા કરાઈ હતી. ડેરા પ્રબંધનને રણજીત પર શંકા હતી કે તેણે જ પ્રધાનમંત્રીને પેલો સાધ્વીનો પત્ર મોકલ્યો આપ્યો હતો. આ બંને કેસોમાં ગુરમિત રામ રહિમ મુખ્ય આરોપી છે.