કચ્છઃ ડેરા સચ્ચા સોદાના પ્રમુખ બાબા રામ રહિમને રેપ કેસમાં સજા ફટકારી હતી જેને લઇને તેના લાખો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને આગચંપી કરી. ત્યારે રામ રહીમને કોર્ટે દોષી ઠેરવતા કચ્છના પણ કેટલાક લોકોએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
શું છે બાબાનું ગુજરાત-કચ્છ કનેકશન
ડેરા સચા સોદાના પ્રમુખ અને બાબા રામ રહિમને બળાત્કારના કેસમાં સજા ફટકારી હતી. જેને લઇને તેના લાખો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો ક્યાંક કોર્ટના આદેશ બાદ લોકોમાં દુખની લાગણી છે. ત્યારે બાબાનો કચ્છ કનેક્શન સામે આવ્યું છે.
ગુરૂપ્રીત રામરહીમને સજાથી તેના લાખો સમર્થકો અને અનુયાયીઓએ રોષ પ્રગટ કર્યો. ત્યારે હવે ગુજરાતમાં પણ બાબાના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી છે. કચ્છના લાકડીયામાં પણ બાબાના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી છે. ક્ચ્છના લાકડીયા સ્થિત બાબાના સમર્થકોએ ચુકાદાને લઈ સરકાર માફી માગે તેવી વાત ઉતારી રહ્યા છે.
આપને જાણીને નવાઈ લાગશે કે કચ્છના લાકડીયામાં પણ બાબા રામ રહીમની વિશાળ સંપત્તિ આવેલી છે. બાબાની 17 એકર સપત્તિમાં તેમના અનુયાયીઓ હાલ ખેતી કરે છે. સાથે નિરાધાર લોકોની સેવા અને સત્સંગ પણ અહીં થાય છે. 2001માં આવેલા ભયાનક ભૂકંપ પછી કચ્છને બેઠું કરવા જિલ્લામાં અને સેવા સંસ્થાઓ-ધર્મગુરૂઓ અહીં આવ્યા હતા અને સેવાકીય પ્રવૃત્તિઓની ધૂણી ધખાવી હતી. ડેરા સચ્ચા સૌદાના બાબા રામ રહીમે પણ 2500થી વધુ કાર્યકરોને સાથે રાખીને લાકડીયા નજીકના ગામોમાં 600થી વધુ લાકડાંના મકાનો બાંધી આપ્યાં હતાં.
એક તરફ કોર્ટે બાબાની સંપત્તિ કબજે કરવાનો આદેશ કર્યો છે ત્યારે ભચાઉ તાલુકાના લાકડીયા સ્થિત આવેલા બાબાના અલૌકિક ધામ આશ્રમ પર પોલીસની નજર છે. ગૃહવિભાગની સૂચનાથી અલૌકિકધામ આશ્રમ ફાર્મ હાઉસની દિવાલો પરથી બાબાની તસવીરો હટાવી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણામાં લાખોની સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા બાબા રામ રહીમને તાજેતરમાં દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સીબીઆઈ કોર્ટે સજા ફટકારી છે.
લાકડીયા-રાધનપુર હાઇવે પર 17 એકરમાં ડેરાનું અલૌકિકધામ આવેલું છે. અહીંના અનુયાયીઓએ પણ દુષ્કર્મની ઘટનાને દુ:ખદ ગણાવી બાબા આવી કોઇ બાબતમાં સંલગ્ન હોય તેમ માની શકાય તેવું જણાવ્યું હતું. કોઇપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે રાજ્યના ગૃહવિભાગની સૂચનાથી આશ્રમ અને અનુયાયીઓ પર પોલીસની નજર રખાઇ રહી છે. ગૃહવિભાગની સૂચનાથી અનિચ્છનીય બનાવ ટાળવા અલૌકિકધામ આશ્રમ ફાર્મ હાઉસની દિવાલો પર બાબાની તસવીરો હટાવી લેવાઈ છે.