અમદાવાદ: કહેવાય છે કે આજનો જમાનો ઘણો બદલાઇ ગયો છેજમાનાની સાથે લોકોની માનસિકતા પણ બહું જ બદલાઇ છે. લગ્નેતર સબંધ ધરાવતા લોકની સંખ્યા પણ દિવસે-દિવસે વધતી જાય છે. ત્યારે આવો એક કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક 25 વર્ષિય પરિણીતાને તેના જ પરીવારના અને પોતાનાથી 5 વર્ષ નાના ભત્રીજા સાથે આંખ મળી જતાં પ્રેમ સબંધ બંધાયો હતો. આ સબંધ દિવસેને દિવસે શારિરીક સબંધમાં પરીણમ્યો.
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય તેમ આ કિસ્સામાં પણ આવુ જ બન્યું હતું કાકી અને ભત્રીજાની આ પ્રણય કથામાં એક વણાંક આવ્યો અને કાકીએ ભત્રીજા સાથે લગ્ન કરવામાંટે થઇને કાકા સાથે છુટાછેડા લઇ લીધા. અને ત્યારબાદ કાકીએ ભત્રીજાને લગ્ન કરવાનુ કહેતા પરિવારનું નામ બદનામ ના થાય તે માંટે થઇને તેણે ઇનકાર કરી દેતા કાકીને પસ્તાવાનો વારો આવ્યો હતો.
આ ઘટનાને પગલે તે મહિલાએ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા બંન્નેનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ હતુ. મહિલા હેલ્પ લાઇનનાં કાઉન્સેલરે યુવકને આ અંગે પુછતા તેણે પોતાના પરિવારની બદનામી ટાળવામાંટે થઇને લગ્ન કરવાનો ઇનકાર કર્યા હોવાનું જણાવ્યુ હતુ. જોકે તાજેતરમાં મળેલ જાણકારી અનુસાર યુવતીને સમજાવીને તેના પિત્રુ ગૃહે પરત મોકલવાં આવી હતી.