અમદાવાદઃ શહેરમાં દિવસે અને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. વસ્ત્રાલ પાસે અજાણ્યા શખ્સો દ્વારા દિન દહાડે હુમલો કરવામાં આવ્યો હતો. પાસના કાર્યકર આશિષભાઈ વસ્ત્રાલમાં નિરાત ચોકડીથી પોતાના ઘર તરફ મોપડ પર જઇ રહ્યાં હતા. તે સમયે 6 થી 7 અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
પાસના કાર્યકર પર શા માટે હુમલો કરાયો આ એક ભેદી બાબત છે. ઘટનાની પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવાની બાહેંધરી આપી છે. મહત્વનું છે કે આ સમગ્ર બાબતથી પોલીસ તંત્ર અને ખુદ ફરિયાદી આશિષ પટેલ પણ અજાણ છે.
પાસના કાર્યકર પર જે હુમલો કરવામાં આવ્યો તે 6 થી 7 શખ્સોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. પાસ કાર્યકર આશિષ પટેલ પણ ઈજાગ્રસ્ત હોવાથી હાલ સારવાર હેઠળ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
સમગ્ર મામલામાં પાસના આગેવાનો પણ આશિષ પટેલનો પુરેપુરો સપોર્ટ કરીને ગુનેગારોને પકડાવવા અને અન્ય કોઈ પાસના કાર્યકરો સાથે આવો બનાવના બને તેની તમામ પાસ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા એક જૂથ થઈને એક બીજાને હૂંફને લાગણી આપી રહ્યા છે.