અમદાવાદના કર્ણાવતી પાર્લરના માલિક પર હુમલો થયો છે.બાપુનગર ચાર રસ્તા નજીક આવેલ કર્ણાવતી પાર્લરના માલિક પર 2 શખસો દ્વારા તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલો મોડી સાંજે થયો હતો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ઉલ્લેખનીય છે ગુજરાતમાં મારામારીના અને ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે અમદાવાદના જાણીતા વિસ્તાર બાપુનગર ખાતે આજે વધુ એક ઘટના બનવા પામી હતી.
આ ઘટનામાં કર્ણાવતી પાર્લરના માલિક પર અચાનક તિક્ષ્ણ હથિયારો સાથે ધસી આવેલા શખ્સો દ્વારા કર્ણાવતીના માલિક પર હુમલો કરતા તેમને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. આ બનાવ CCTV માં કેદ થઇ હતી.