GST કાઉન્સિલ દ્વારા AC અને નોન- AC હોટેલો પર પાંચ ટકા GST લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ગઇ કાલે મધરાતથી એનો અમલ કરવામાં આવ્યો હતો. આજથી તમામ પ્રકારની રેસ્ટોરાંમાં ગ્રાહકો પાસેથી પાંચ ટકા GST વસૂલવામાં આવશે.
આજથી હોટેલોમાં પાંચ ટકા GSTનો અમલ કરવામાં આવશે અને એને માટે હોટેલમાં મેન્યુના દરોમાં પણ ફેરફાર કરવા આવશ્યક છે. જો કોઇ રેસ્ટોરાં-હોટેલ વધુ જીએસટી વસૂલતી હોવાનું જણાય તો નાગરિકો 1800 225 900 નંબરની આ હેલ્પલાઇન-નંબર પર ફોન કરીને ફરિયાદ કરી શકશે.
જીએસટી પાંચ ટકા લાગુ થવાથી રેસ્ટોરાંઓ સસ્તી થવાથી ખાસ કરીને મધ્યમ વર્ગને મોટી રાહત થશે. આજથી પાંચ ટકા કરતા વધું જીએસટી વસૂલનારી રેસ્ટોરાં પર કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.