જૂનાગઢમાં મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરે ડોક્ટરને લાફો માર્યાની ઘટના સામે આવી છે.સિવિલ હોસ્પિટલના ડોક્ટર જય કણસાગરાને લાફો માર્યો હતો.
ખાડિયા ગામ નજીક થયેલા અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જે દરમિયાન ઉશ્કેરાયેલા આસિસ્ટન્ટ કમિશનરે તબીબને લાફો મારી દીધો હતો.
ઉલ્લેખનીય છે જૂનાગઢ નજીક થયેલ એક માર્ગ અકસ્માતની ઘટનામાં કેટલાક ઇજા પામેલ લોકોને જૂનાગઢની સરકારી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
જે તમામ લોકોની સારવાર હોસ્પિટલના સર્જન ડોક્ટર જય કણસાગરા કરી રહ્યા હતા ત્યારે આ દર્દીઓની ખબર કાઢવા આવેલ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરે ફરજ પર હાજર ડોક્ટર જય કણસાગરાને વિના વાંકે લાફો મારી દેતા વાતાવરણ ગરમાયું હતું.