પીએમ મોદીએ આજે ભાભરથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદીએ ઝાડ પર ચઢેલા લોકોને નીચે ઊતરવાની નિવંતી કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જ્યારે અહીંયા પૂર આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બેંગ્લોરમાં મજા કરી રહ્યા હતા પરંતુ ભાજપના નાેતા અને મુખ્યમંત્રી લોકોની મદદ કરી રહ્યા હતા.
કોંગ્રેસના લોકોને માત્ર સત્તાથી જ મતલબ છે જ્યારે અહીં લોકો પૂરમાં ડૂબી રહ્યા હતા તો કોંગ્રેસના ધારાસભ્ય બેંગ્લોરમાં કોંગ્રેસ ધારાસભ્ય સ્વિમિંગ પુલમાં ડૂબકીઓ મારી રહ્યા હતા. પીએમ મોદીએ એક વખત ફરીથી અહીંયા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પર પ્રહાર કર્યા. એમને કહ્યું કે જ્યારે એ મોકરબી આવ્યા હતા ત્યારે મોંઝા વપર રૂમાલ રાખીને આવ્યા હતા.
પીએમએ કહ્યું કે કોંગ્રેસને એવી સજા આપવી જોઇએ એ લોકોમાં સુધારો આવી જાય. લોકો ભાજપ અને કોંગ્રેસમાં ફરક જાણે છે. એમને કહ્યું કે પહેલા ગુજરાતમાં કર્ફૂ્યૂ લાદેલો રહેતો હતો પરંતુ હવે એવું નથી.
મોદી બોલ્યા કોંગ્રેસના ત્રણ પ્રકારના સ્વભાવ છે. અટકાવવું-લટકાવવું અને ભટકાવવું. કોઇ પણ કામ હોય પહેલા કોંગ્રેસ અટકાવે છે. નર્મદાને લઇને કોંગ્રેસે અવરોધ ઊભો કર્યો તો પરંતુ ભાજરે નર્મદાને લઇને કામ કર્યું છે.