રાહુલ ગાંધીના પ્રવાસને લઇને મોટા નેતાઓ ગેલમાં આવી ગયા. જયાં નેતાઓએ પ્રવાસને લઇને નિવેદનો આપ્યા હતા. જરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાનો ઉદ્દેશ નોટબંધી અને જીએસટી બાદ લોકોની જે ખરાબ હાલત થઇ છે તેના વિશે લોકોમાં જાગૃતી લાવવાનો છે.
રાહુલ ગાંધી તેમની યાત્રા દરમિયાન આદિવાસી સમાજના લોકોને મળશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં જ્યા જ્યાં રાહુલ ગાંધી પ્રવાસ કરી રહ્યા છે. તે રૂટ પર મોદી અને અમિત શાહે પ્રવાસ કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસની મજબૂતાઇ જોઇને ભાજપ હવે રઘવાયુ બન્યુ છે. ભાજપ ધ્રુવિકરણની રાજાનિતી અપવાની રહી છે પણ અમે તે નહીં થવા દઇએ. હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી અંગે પૂછતા તેઓએ કહ્યુ હતુ કે રાહુલ ગાંધીને અમે વિનંતી કરીશું શકય હશે તો હાર્દિક અને જિગ્નેશ સાથે બેઠક થશે.