શંકરસિંહ વાઘેલાએ જનવિકલ્પને સમર્થન આપ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે શંકરસિંહ વાઘેલા પર આકરા પ્રહાર કર્યા છે. બાપુના મનમાં શું છે તે તો હવે ગુજરાત જાણી ચુક્યું છે.
બાપુએ કોંગ્રેસ સાથે દગો કર્યો છે અને હવે જે ત્રીજો વિકલ્પ બનાવી રહ્યા છે. તે ભાજપની B ટીમ છે. આ સાથે જ તેમને ભાજપ પર પણ પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ ગમે તેટલા પ્રયાસો કરી લે પરંતુ ગુજરાતની જનતા ભાજપને સારી રીતે જાણી ચુકી છે.