કશ્મીર: કાશ્મીરનાં લાદુરા ગામમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલ ગોળીબારની ઘટનામા સૈન્યને મોટી સફળતા હાથે લાગી હતી. આ મુઠભેડમાં જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનનો ટોચનો કમાંન્ડરને ઠાર કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી છેલ્લા 2 વર્ષથી કાશ્મીરમાં સક્રિય હતો. પાકિસ્તાનનું નાગરીકત્વ ગણાતો આ આંતકી કશ્મીરમાં પણ અનેકવાર આંતકવાદી હુમલા કરાવી ચુક્યો છે.
સુત્રોના જણાવ્યાનુસાર જમ્મૂ કશ્મીરમાં કુલ ત્રણ આતંકી ઠાર મરાયા છે. ખાલિદ ઉપરાંત હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી આબિદ ઉપરાંત અન્ય એક આતંકીને ઠાર મરાયા છે. આતંકીઓ અને સુરક્ષા બળો વચ્ચે શોપિયામાં થયેલા ઘર્ષણ દરમિયાન સેના જવાનોએ આતંકીને ઠાર માર્યા હતા.
જમ્મૂ કશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ યથાવત છે ત્યારે અત્યાર સુધીમાં 100થી વધુ આતંકીઓ ઠાર મરાઈ ચૂક્યા છે. ત્યારે સુરક્ષા બળોને બારામૂલ્લામાં વધુ એક સફળતા હાથ લાગી છે. સુરક્ષા બળોએ અહીં એક ઘરમાં છુપાયેલા આતંકીને ઠાર માર્યો છે. આતંકી ખાલિદ જૈશ એ મહોમ્મદનો ઓપરેશનલ હેડ હતો. જેને બારામૂલાના એક ઘરમાં ઠાર મરાયો. આતંકીને પગમાં ગોળી વાગી હતી અને તે આ ઘરમાં આવીને છુપાયો હતો સેના જવાનોને આ વિશે માહિતી મળતા તેમણે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ખાલિદે એક ચોક નજીક પોલીસ પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું જે બાદ આતંકી અને સુરક્ષાબળો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોકે આતંકી આ સ્થળેથી ફારર થઈ ગયો હતો અને એક ઘરમાં છુપાયો હતો. સુરક્ષા બળોએ આ ઘરને કોર્ડન કરીને આતંકીને ઠાર કર્યો હતો. બારામુલ્લામાં વધુ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. આ આતંકીઓએ સુરક્ષા બળો પર ફાયરિંગ કર્યું હતું. અહીંના રફિયાબાદ ગામમાં રહેણાંક વિસ્તારમાંથી સતત ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આશરે 60થી 70જેટલા આતંકીઓ પાકિસ્તાની સરહદથી ભારતમાં ઘૂષણખોરી કરવાની તૈયારીમાં હોઇ સેના દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.