વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યની જેમ વલસાડ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યાછે. આદિત્ય નાથે સભાઓ ગજવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કપરાડાના નાનાપોંઢામાં જાહેરસભા યોજી.
અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતની મુલાકાત પર કહ્યું કે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી દેશનું પાટનગર દિલ્લીથી બદલી ગુજરાત કરી દેવુ જોઇએ. જાહેરસભામાં સંભવિત ઉમેદવાર જીતુ ચૌધરી સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા