અરવલ્લીના ધાંધીયા ગામમાંથી પોલીસને ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ યુવતીના પરિવારના લોકોએ એનો વિરોધ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર અરવલ્લીના ધાંધિયા ગામે ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યાર બાદ આ યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યુ હતુ. પીએમ કર્યા બાદ યુવતીના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. યુવતીને ન્યાય ન મળતા પરિવારજનો દ્વારા 24 કલાક સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યુ નથી. ઘર આગળ મૃતદેહ મુકીને પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે..
જોકે આ યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેનુ કારણ અકબંધ છે.